Sunday 27 June 2021

ડોક્ટર વિક્રમ સારાભાઈ

ડોક્ટર વિક્રમ સારાભાઈ
વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતીય ભૌતિક શાસ્ત્રી હતા.
જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૧૯માં
તેઓ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતામહ ગણાય છે.
વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતીય ભૌતિકશાસ્ત્રી હતા. તેમને ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતામહ માનવામાં આવે છે .ઘણા બધા ભારતીયો તેમણે રાષ્ટ્રીય હીરો પણ માને છે.
   વિક્રમ સારાભાઈનો અમદાવાદ ખાતે સંપન્ન વેપારી કુટુંબમાં જન્મ થયો હતો. દેવી અને અંબાલાલ સારાભાઈના 8 સંતાનો પૈકીના તેઓ એક સંતાન હતા.
    અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે અભ્યાસ કર્યા બાદ ભૌતિકશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ માટે તેમણે ઈંગ્લેન્ડ જવા ફેંસલો કર્યો અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જોન્સ કોલેજમાં જોડાયા. 1940માં ત્યાં તેમણે પૂર્વસ્નાતક પદવી મેળવી. ૧૯૪૩માં તેવું માત્ર 23 વર્ષની ઉંમરના હતા ત્યારે "કોસ્મિક કિરણો "પર પ્રયોગો પ્રયોગો કરવા વિક્રમ હિમાલયમાં પહોંચી ગયા હતા. તેઓ પોતાના પ્રયત્નો સફળ પણ થયા હતા આ વિષયમાં કરેલો અભ્યાસ બદલ કેમ્બ્રિજ યુનિવર્સિટી ૧૯૪૭માં તેમને પીએચડીની પદવી થી નવાજ્યા હતા .
   ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠનની isro ની સ્થાપના તે એમની શ્રેષ્ઠ સિદ્ધિઓ પૈકીની એક હતી. અમદાવાદની આઇઆઇએમ પણ એમના ભવ્ય યોગદાનનું પ્રતીક છે. રશિયાએ"સ્પુટનિક"તરતું મૂક્યા બાદ ભારત જેવા વિકાસશીલ દેશ માટે અંતરીક્ષ કાર્યક્રમ ખુબ જ મહત્વનો હોવાની વાત સરકારના ગળે ઉતારવામાં તેમને સફળતા મળી હતી.
 ભારતમાં "પ્રથમ લોન્ચિંગ મથક "ઉભું કરવા ડોક્ટર બાબા એ પણ તેમને ટેકો આપ્યો હતો. સમુદ્રના કિનારે તિરુવનંતપુરમ્ નજીકના થુંબા ખાતે આ મજબૂર કરવામાં આવ્યું હતું. ડોક્ટર વિક્રમ સારાભાઈ ભારતીય ઉપગ્રહ નિર્માણ કરીને અંતરીક્ષમાં તરતો મૂકવાની પરિયોજનાનો પણ આરંભ કર્યો.
ડૉ. વિક્રમ સારાભાઈ
જન્મની વિગતAugust 12, 1919
મૃત્યુDecember 30, 1971 (ઉંમર 52)
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણપીએચ.ડી.
વ્યવસાયવૈજ્ઞાનિક,
કાપડ અને દવાનો કૌટુંબીક વ્યવસાય
પ્રખ્યાત કાર્યભારતીય અંતરીક્ષ કાર્યક્રમ
મૂળ વતનઅમદાવાદ
જીવન સાથી(ઓ)મૃણાલિની સારાભાઈ
સંતાનોકાર્તિકેય - મલ્લિકા
માતા-પિતાઓ
પુરસ્કારોપદ્મભૂષણ
પદ્મવિભૂષણ
   આ પ્રયાસને પગલે ૧૯૭૫માં ઋષિ મથક પરથી પ્રથમ ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટ ભ્રમણકક્ષામાં તરતો મુકવામાં આવ્યો હતો ડોક્ટર સારાભાઈ ને ભટનાગર ચંદ્રક (૧૯૬૨), પદ્મભૂષણ 1966 મરણોત્તર પદ્મભૂષણ 1972 પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
   

No comments:

Post a Comment