Showing posts with label દિન વિશેષ જાણવા જેવું. Show all posts
Showing posts with label દિન વિશેષ જાણવા જેવું. Show all posts

Saturday, 13 November 2021

વિશ્વ બાળ દિન ની ઉજવણી -જવાહરલાલ નહેરુ

વિશ્વ બાળ દિન
૧૪મી નવેમ્બર
આપણા માટે અગત્યની તારીખો છે 14મીએ વિશ્વ બાળ દિન ઉજવાય છે અને ૧૫મી જૂન ભાઈ બધેકા સ્મૃતિ દિન છે.
  ગિજુભાઈ ની વાત તમને અંદરના પાનાઓમાં વાંચવા મળશે વિશ્વ બાળ દિન ની કથા અહીં વાંચીએ.
ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ નો જન્મ ૧૪મી નવેમ્બર 1889માં પ્રયાગરાજ માં થયો હતો તેમના પિતા પંડિત મોતીલાલ નહેરૂ હતા અને માતા હતાં સ્વરૂપ રાણી.
  નેહરુજી બાળ પ્રેમી હતા. બાળકોને બહુ જ પ્રેમ અને લાડ કરતા, બાળકો એ તેમને 'ચાચા નહેરુ 'કહેવાનું શરૂ કર્યું હતું તે એટલે સુધી કે પછી જવાહર' ચાચા નહેરુ' તરીકે જ ઓળખાતા થઈ ગયા.
બાળકો તરફની આ ચાહના જોઈને તેમની જન્મતિથી 14 નવેમ્બર વિશ્વ બાળ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું. બાળકો માટે તો ખરેખર 'વિશ્વ બાળ દિન 'એક તહેવાર જ છે. તેઓ જેટલા બાળકોને પ્રેમ કરતાં તેટલા જ ગુલાબના ફુલના ચાહક હતા તેમના ડાબા ઉપરના ગજવામાં હંમેશા તમને ગુલાબનું ફૂલ જોવા મળે જ ગુજરાતીમાં ચકોર નામે એક ચિત્રકાર થઈ ગયા. નામ તેમનું બંસીલાલ વર્મા. તેમણે ચાચા નહેરુ નું એક મોટું ચિત્ર દોર્યું હતું ચાચાનું બાળક જેવું હસતું મોં ગજવામાં લાલ ગુલાબ પૂર બહારમાં ખીલેલું. ભપકાદાર મોટો ગોળ મટોળ પણ એ ગુલાબમાં જ હસતા બાળકને ગૂંથી લીધેલું. હસતું ગુલાબ, હસતું ફુલ, હસતા ચાચા. તેમના હાસ્ય પ્રસંગો પાર નહીં તેમના હાસ્ય પ્રસંગો સંકલિત કરીને એક વસ્તુ પુસ્તક ત્યારે બહાર પડયું હતું.: હસતા જવાહર તેમાં 'શંકર્સ વિકલી' ના ચિત્રકાર શંકરના નાના નાના પણ પ્રસંગે પ્રસંગે ચિત્રો હતા જવાહર કસરત કરતાં, જવાહર ભાષણ કરતા, જવાહર ભોજન કરતા, જવાહર દોડતાં, જવાહરનું બાળ સ્વરૂપ!
જવાહરની બાળકથાઓની પણ ઘણી વાતો. બાળકો સાથે ચાચા બાળક જેવા થઇ જાય પણ તેમનામાં બાળક એવું વસી ગયેલું કે મોટાઓ સાથે પણ તેઓ બાળ સહજ લાગી રહે .ચાલો આજે તેમની ૧૩૧ મી પુણ્યતિથિએ તેમની એક યાદગાર બાળવાર્તા નું સ્મરણ કરી તેમની બાળચાહના તાજી કરીએ.
   ચાચા ઊઘાડી જીપમાં જતા હતા. તેમને બંધિયાર કંઈ જ ગમે નહીં. વાહનો ઉઘાડા હોય તો મજા આવી જાય આજુબાજુની દુનિયા જોવાની રંગત જ કોઈ અનોખી.ચારે બાજુ વૃક્ષો, ખેતરો, પહાડો ,નદી, આકાશ, દોડતા વાદળ, ઊડતા પક્ષીઓ બાળક બની જઈ તેમને પર્યાવરણ સાથે રમવાનું મન થઈ જાય.
  બાળપણમાં તેઓ ત્રણ પૈડાની સાઇકલ પર ફરતા. પણ તેમને કમ્પાઉન્ડની બહાર જવાની છૂટ નહિ તેમને થતું કે તેઓ દૂર સુધી સાયકલ સવારી કરી આવે પણ આ મોટાઓ! ના એટલે ના.
અત્યારે તેઓ મોકળા હતા.જીપ ની મોજ માણતાં હતાં. ખેતરોની હારમાળા જોઈ ખુશ થતા હતા. ખેતરે ખેતરે જાતના ફળફળાદિના વૃક્ષો હતા. કેરી ,જામફળ ,પપૈયાં, કેળુ ,સફરજન, દાડમ ! દ્રાક્ષ ની વેલીઓ તો એવી ઝૂલે કે દોડીને પશુની જેમ કૂદીને ખાવાનું મન થઈ જાય. પેલા ખાટી દ્રાક્ષ વાળા શિયાળ જેવી કંઈક વાર્તાઓ યાદ આવી જાય!
"ઊભા રહો!' ચાચા એકદમ બોલી ઉઠ્યા. જીપ ઊભી થઈ તેમની નજર એક જાંબુનું ઝાડ પડ્યું હતું શું જાંબુ, શું જાંબુ! ઝાડની નીચે પણ વેરાયેલા જાંબુ ના ઢગલા. ઝાડ ખેતર ની અંદર હતું જાંબુ ને ખેતર ફરતે કાંટાળી વાડ હતી. કોઈ અંદર જઈ ન શકે. જાંબુ ચોરી ન શકે.
  કાંટાળી વાડની બહાર પણ ઘણા બધા જાંબુ વેરાયેલા હતાં ઉતર્યા ચાચાજી માંથી ભેગા કરવા લાગ્યા જાંબુ ખેતરનાં માલિક જેવો કોઈ રખેવાળ આવી લાગ્યો.
ચાચાએ પૂછ્યું, બાળકો ક્યાં છે?
માલિક કહે: બાળકો નિશાળમાં પણ સાહેબ શ્રી આપ બાળક વિશે કેમ પૂછી રહ્યા છો?
ચાચા કહે :જ્યાં જાંબુ હોય ત્યાં બાળકો હોવા જ જોઈએ. અહીં આટલા બધા જાંબુ પડ્યા રહે છે, નકામા જાય છે અને બાળકો નથી? બોલાવો બાળકોને!'
શાળા નજીક માં જ હતી બાળકો દોડતા આવ્યા ચાચા ને મળવા ચાચા કહે :બાળકો ખાવ આ જાંબુઓ વીણી વીણીને.
તેમણે માલિકને કહ્યું :આ બધા પૈસા હું ચૂકવીશ.
પણ જાંબુ નકામાં જવા દેશો નહીં જ્યાં જાંબુ ત્યાં બાળક ,જ્યાં બાળક ત્યાં જાંબુ, બાળકો જાંબુ વગર નહીં રહેવા જોઈએ . જાંબુ બાળક વગર નહીં રહેવા જોઈએ. એક તો બાળકો જાંબુ વિહોણા રહે અને અહીં જાંબુ રઝળી જાય. સારા ફળ નો કેટલો બગાડ! ચાચા ને તો જાંબુવતીની પેલી કાંટાળી વાડ પણ કંઈ નહીં. આતે કેવું અર્થતંત્ર છે, કેવી દુનિયા છે . જાંબુ છે બાળકો છે છતાં બંને ને મેળ જ ખાતો નથી .વિચારવું પડશે જરૂર વિચારવું પડશે.
તેમણે જીપના ડ્રાઈવરને કહ્યું :ચાલો જઈએ આગળ જીપ ઉપડી. બાળકો પાછળ પાછળ દોડવા લાગ્યા. ચાચા ડ્રાઇવરને કહે:જો દોસ્ત, રસ ભરેલા ,કસ ભરેલા ,ખુશખુશાલ, જાંબુઓ કેવી દોડ લગાવી રહ્યા છે!'
ડ્રાઇવર આવી કંઈક ઘટનાનો સાક્ષી હતો. તે મનોમન જાંબુ જેવું હાસ્ય છલકાવીને વિચારવા લાગ્યો: દોડતાં જાંબુ વાહ! કેવું રળિયામણું કથાનક !"
આભાર ગુજરાત સમાચાર તારીખ 13- 11 -2021
  

Thursday, 11 November 2021

આજનો દિન વિશેષ જાણવા જેવું 12-11-2021 ગાંધીજી નું રેડિયો પર સંબોધન

આજનો દિન વિશેષ 12 નવેમ્બર
કુરુક્ષેત્રમાં આવેલા ૨.૫૦ લાખ શરણાર્થીઓ ને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધીએ 12 નવેમ્બર ૧૯૪૭ના રોજ રેડિયો પર સંબોધન કર્યું હતું.
દેશને આઝાદી તો મળી પરંતુ તેની સાથે વિભાજનનો દુઃખ પણ સહન કરવું પડ્યું હતું ગાંધીજીને ભાગલા પછીની સ્થિતિ ખૂબ દુઃખ હતું તેને વાચા આપવા માટે ૧૨ નવેમ્બર ૧૯૪૭ના રોજ પ્રથમવાર ઓલ ઇન્ડિયા રેડિયો પર સંબોધન કર્યું હતું લાખો લોકો સરહદ પારથી શરણાર્થી બનીને આવી રહ્યા હતા ત્યારે ખાસ તો કુરુક્ષેત્રમાં એક નિરાશ્રિતોની શિબિરના ૨.૫૦ લાખ લોકોને સંબોધન માટે ગાંધીજીએ પણ લોક માધ્યમ રેડિયોનો ઉપયોગ કર્યો હતો તેમના માટે તેઓ ખુદ દિલ્હીના આકાશવાણી ભવન પહોંચ્યા હતા. ઓલ ઇન્ડિયા રેડિયો પર તેમનું પહેલું અને છેલ્લું સંબોધન હતું.
ગાંધીજીએ મેરે દુઃખી ભાઈઓ ઓર બહેનો મુજે પતા નહિ થા કે સિવાય આપ કે મુજે કોઈ સુનતા ભી હૈ યા નહીં. એમ કહીને શરૂઆત કરી હતી 20 મિનિટના ભાષણમાં તેમણે જણાવ્યું કે મને તો ખબર જ ન હતી કે મારે આ રીતે કશું બોલવાનું છે .જ્યારે હું ગોળમેજી પરિષદ માટે ઈંગ્લેન્ડ ગયો હતો ત્યારે ત્યાર પછી મને આ બીજો અનુભવ છે .હું તો એક અજનબી પુરુષ છું.હું કોઈપણ પ્રકારનો રસ લઈ રહ્યો નથી. જીવનભર મારો પ્રયાસ દુઃખને સ્વીકારી લેવાનો રહ્યો છે. જ્યારે મેં જાણ્યું કે હાલમાં ૨.૫૦ લાખ શરણાર્થીઓ છે, હજુ તો શરણાર્થીઓના આવવાનો પ્રવાહ ચાલુ જ છે તે જાણીને ખુબ દુઃખ થયું છે .હું તમારી પાસે પહોંચી જાઉં એવી મને તીવ્ર લાગણી થયા કરે છે. કુરુક્ષેત્રની આ વિશાળ શરણાર્થી શિબિરના લોકોએ ગાંધીજીના આ રેડિયો ઉદ્દબોધનને સાંભળ્યું હતું. શિબિરની વચ્ચે એક વિશાળ રેડિયો સેટ ગોઠવવામાં આવ્યો હતો .ગાંધીજીના રેડિયો પ્રસારણ ને લાઉડ સ્પીકર સાથે જોડીને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવતો હતો. ગાંધીજીએ તેમના રેડીયો ઉદ્દબોધનમાં પાકિસ્તાનથી આવેલા વિસ્થાપીતોને ધીરજ રાખીને સામનો કરવાની વિનંતી કરી હતી. તેમના રેડીયો અવાજે ભાગલાના ઊંડા ઘા સહન કરી રહેલા શરણાર્થી માટે મલમનું કામ કર્યું હતું.
આમ તો મહાત્મા ગાંધી કુરુક્ષેત્રમાં શરણાર્થીઓની છાવણીમાં પીડિતોને રૂબરૂ મળવા જવાના હતા પરંતુ આ કાર્યક્રમ કોઈ પણ કારણોસર બંધ રહ્યો હતો આથી બ્રોડકાસ્ટિંગ હાઉસમાંથી જ શરણાર્થીઓને સંબોધન કર્યું હતું.
ગુજરાત સમાચાર તારીખ 12 નવેમ્બર 2021