Showing posts with label પ્રેરક પ્રસંગો. Show all posts
Showing posts with label પ્રેરક પ્રસંગો. Show all posts

Thursday, 7 September 2023

#આલ્બર્ટ આઈન્સ્ટાઈન#એલ્સા #_miliva #પ્રેરક પ્રસંગ #

-આલ્બર્ટ આઈન્સ્ટાઈન બોલ્યા
ડીયર 
ક્રોધથી લાલચોળ આઈન્સ્ટાઈ નનો ચહેરો નિહાળી ભોંઠો પડેલો વૈજ્ઞાનિક રવાના થઈ ગયો. સમય વીતતો ગયો. આઇન્સ્ટાઇનના થિયરી ઑફરિલેટિવિટીના સિદ્ધાંતની શોધ બદલ ઇ.સ. ૧૯૨૧માં તેમને નોબલ પ્રાઇઝ એનાયત થયું. સાથે મોટી રકમ પણ આપવામાં આવી.

આટલી મોટી રકમ ઉપહાર તરીકે આવતા આઇન્સ્ટાઇનને પોતાની જૂની પત્ની મિલેવા યાદ આવી ગઈ. તેનાથી જ થયેલાં પોતાના બે સંતાનો પૂર્વ પત્ની મિલેવાની જ વત્સલ છાયામાં ઉછરી રહ્યા હતા. આઇન્સ્ટાઇનને સંવેદના પ્રગટ થઈ.

પોતાની હાલની પત્ની એલ્સાને બોલાવીને આઇન્સ્ટાઇને પૂછ્યું : ડિયર એલ્સા, મારે એક વાતમાં તારી સંમતિ જોઈએ છે. એલ્સા બોલી ઊઠીઃ “પ્રિય આલ્બર્ટ તમારી ખુશીમાં જ મારી ખુશી છે. મેં તો મારું અસ્તિત્વ
તમારામાં જ ઓગળી નાખ્યું છે.
તમારે મારી સંમતિ લેવાની હોય જ
નહીં. શું વાત છે કહો. તમારી મનમાં
જે વાત હોય તેનો તાત્કાલિક અમલ
કરો.’
ચહેરા પર મધુર સ્મિત આણતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન બોલ્યાઃ જો એલ્સા નોબેલ પ્રાઇઝની જે માતબર રકમ આપણને મળી છે તેમાંથી અડધો ભાગ મિલેવાને આપીએ તો કેમ? એ બિચારી રાજી થશે. એને થશે કે આપણને તેની તથા બન્ને બાળકોની કેટલી બધી ચિંતા છે ! મને પણ મારા મનમાં જે રંજ છે કે મેં અજાણતા તેને કોઈ અન્યાય તો નથી કર્યોને ! એ રંજ પણ ! મારા મનમાંથી દૂર થઈ જશે.’




એલ્સાને પતિ આલ્બર્ટ આઇન્સ્ટાઇ નની વાત સ્પર્શી ગઈ. તે ખૂબ પ્રસન્નતાથી બોલીઃ “ઘણી ખુશીથી તમને નોબેલ “ પ્રાઇઝ સાથે મળેલી મોટી રકમમાંથી અડધી રકમ મિલેવાને મોકલી આપો. આપણી પર ભગવાનના
ખૂબ આશીર્વાદ વરસી રહેશે.' આલ્બર્ટ આઇન્સ્ટાઇન ખુશ થઈ ગયા અને નોબેલ પ્રાઇઝમાં તેમને “મળેલી માતબર રકમમાંથી અડધી – રકમ પૂર્વ પત્ની મિલેવાને મોકલી આપી.

(માહિતી સૌજન્યઃ સંત ‘પુનિત’ પુસ્તક: મહામાનવોનો મેળો) (ક્રમશઃ) દેવેન્દ્ર પટેલ



Monday, 31 May 2021

વાર્તા --આપણો ત્યાગ આવો હોય છે ....રામકૃષ્ણ પરમહંસ નો જીવન પ્રસંગ

 

આપણે ત્યાગ આવો હોય છે....

રામકૃષ્ણ પરમહંસ પાસે આવીને એક દાનવીરે હજાર સોનામહોરો ચરણોમાં ધરી દીધી. એણે કહ્યું : “પ્રભુ આપ આ સ્વીકાર કરો.’’

રામકૃષ્ણે કહ્યું : “આનું હું શું કરું ? એને કોણ સાચવશે અહીં ? તું એક કામ કર. આની પોટલી બાંધી દે અને આ બધી સોનામહોરો ગંગાના જળમાં ડુબાવી દે. મેં એનો સ્વીકાર કરી લીધો છે: હવે આ સોનામહોરો મારી થઈ ગઈ.

મારા તરફથી એ ગંગામાં ફેંકી આવ. આટલું કર.કેટલા દૂરથી તું આવ્યો. મારા માટે મારું આ એક કામ કરી દે. “

પેલા દાનવીરને આ વાત કઈ ગમી નહીં. :આ તે કઈ વાત છે !પણ હવે તે રામકૃષ્ણને ઇન્કાર પણ ન કરી શક્યો. કમને એણે સોનામહોરો પોટલીમાં બાંધી. ગંગાકિનારે જેવો વિદાય થયો.

ઘણી વાર થઈ ગઈ અને એ પાછો ન આવ્યો. રામકૃષ્ણે હાજર ભક્તોને પૂછ્યું : ’’ શું થયું પેલા દાનવીરનું... જુઓં જરા જઈને કે ગંગામાં એ ડૂબ્યો તો નથી ને ! ક્યાંક એમ ન થયુ હોય કે પોટલી કિનારે રાખી દીધી હોય ને જાતે ગંગામાં ડૂબકી લગાવી દીધી હોય !”

ભક્તો કિનારે પહોચ્યા અને જોયું તો એક એક સોનામહોર પથ્થરને ટકરાવીને. ગણી ગણીને ગંગામાં ફેકી રહ્યો હતો. એની આસપાસ મોટી ભીડ થઈ ગઈ હતી. ભક્તોએ એને કહ્યું : “એ તમે શું કરી રહ્યા છો ? ચાલો.... પરમહંસદેવ બોલાવે છે તમને !’’

એણે કહ્યું : “ભાઈઓ ,હું આવું છું. આ બધી સોનામહોરો પૂરેપૂરી ગણીને ગંગામાં પધરાવિશને....! પરત આવેલા દાનવીરને રામકૃષ્ણે કહ્યું : ‘’ ગાડીયા એકઠું કરતી વખતે ગણવામાં આવે તો ઠીક ગણાય ....સમજી શકાય. આને ફેંકી દેવાના વખતે શું ગણવાનું ?એક સાથે પોટલી પધરાવી દેવાય કે નહીં ?’’

આપણો ત્યાગ આવો હોય છે. ગણતરી કરીને થયેલા ત્યાગની રીત ઘણી લાંબી થઈ જાય છે.છોડવું જ હોય તો તત્કાળ તત્ક્ષણ છોડો. “   

                                             

પ્રસંગ પર્વ ----પુસ્તકમાંથી સાભાર 


સંપાદક --દક્ષેશ ઠાકર 

સંકલન --રામજીભાઈ રોટાતર

    .