Thursday 8 July 2021

નળરાજા અને દમયંતીની વાર્તા


આપણા દેશની
મહાન નારીઓ----દમયંતી
વિદર્ભ દેશ ના રાજા ભીમકને  દમયંતી નામે સુંદર કુંવરી હતી. તે ઉંમરલાયક થતાં જ તેને પરણાવવા રાજાએ સ્વયંવર રચ્યો દમયંતી હંસ પાસેથી વરરાજાના નળ રાજા ના વખાણ સાંભળ્યા હતા આથી તેણે  સ્વયંવરમાં નળ રાજાને પસંદ કરી લગ્ન કર્યા.
   કલી નળની પાછળ પડી ગયો હતો. તે નળ- દમયંતી ને કોઈપણ પ્રકારે દુઃખ દેવા માંગતો હતો. સામે નળ પુણ્યશાળી હતો. આથી કલીને લાગ મળતો ન હતો.
  એક દિવસ નળ શૌચક્રિયા પછી પગ ધોતો હતો. પગની પાની કોરી રહી ગઈ. કલી તે જગ્યાએથી નળના શરીરમાં પેઠો.નળ ના વિચારો સદંતર બદલાઈ ગયા.
   એક દિવસ નળ પોતાના ભાઈ પુષ્કર સાથે જુગાર રમવા બેઠો અને કલિના કપટથી નળ હાર્યો. રાજપાટ છોડી તે વનમાં જવા નીકળ્યો દમયંતી ને સમજાવી પણ તેણે સંતાનોને મોસાળ મોકલી દીધા ને પોતે નળની સાથે વનમાં ગઈ.
   નળ અને દમયંતી પાસે ફક્ત એક વસ્ત્ર હતું મનમાં તેમને સાત દિવસ સુધી કંઈ ખાવા મળી નહીં માછલા શોધવા પાણીમાં પેઠો. તેના હાથ 3 માછલા આવ્યા .હાશ !ઘણા દિવસે પેટની ક્ષુધા શાંત થશે. આવું ધારી તેણે ત્રણ માછલા દમયંતીને આપ્યા દમયંતી ને વરદાન હતું .તેના હાથમાંથી અમૃત જરતું હતું .પેલા ત્રણ માછલા સજીવન થઈ પાણી માં જતા રહ્યા.
    એક પણ માછલું રાણી પાસેથી ન મળતા નળ દમયંતી પર ગુસ્સે ભરાયો તેણે દમયંતીને ઘણા કઠોર વચન કહ્યાં: હે સ્ત્રી! લગ્ન પહેલા અને મને બે વાનાં ન કરવાના કહ્યાં હતા. એક તો જુગાર ના રમવું બીજું, સ્ત્રીનો કદી વિશ્વાસ ન કરવો. તે ખરું પડ્યું જુગાર થી અને તારા થી આ દુઃખ આવી પડ્યું'.
     નળ અને દમયંતી વચ્ચે વિખવાદ વધતો જતો હતો પ્રેમ કે મનમેળ જેવું કશું બે વચ્ચે હતું નહી. દમયંતી ને વનમાં છોડીને નળ જવા લાગ્યો. દમયંતી તેની પાછળ દોડી એવામાં પેટની ભૂખ વધતી જતી હતી એવા વળે રૂપાળું પંખી જોયું .નળે પોતાનું વસ્ત્ર પેલા પંખી ઉપર નાખ્યું. પણ હાય રે નસીબ! પેલું પંખી નળરાજા નું એકનું એક કપડું લઈને ઊડી ગયું. દમયંતી એ પોતાની પાસેનું વસ્ત્ર અડધું ફાડીને નળને શરીર ઢાંકવા આપ્યું. નળને વહેમ હતો કે દમયંતી પોતાને મૂકીને માછલા ખાઈ ગઈ હતી. આથી રાત્રે તે દમયંતીથી છૂટો પડ્યો. એ વખતે નળને જે દુઃખ થયું તે  અવર્ણનીય હતું.
    સવાર પડી. દમયંતી વનમાં એકલી હતી. તેણે ખૂબ મોટેથી'હે નળ રાજા! રાજા! એવી ઘણી બૂમો પાડી. પણ તેની બૂમો સાંભળનાર નળ ત્યાં ન હતું.
    નળ આગળ ત્યાં અગ્નિમાં કર્કોટક એક સાપ બળતો હતો.  એની બૂમો સાંભળી .નળે એને બહાર કાઢ્યો. સાપે નળને બચકું ભર્યું નળ નું સ્વરૂપ બદલાઈ ગયું. તેનો વાન કોલસાથી એ કાળો બિહામણો બની ગયો. આથી તેણે બદલાયેલા સ્વરૂપને અનુકૂળ એવું  બાહુક નામ ધારણ કર્યું. તે આગળ ચાલી ,અયોધ્યાના રાજા ઋતુ પણ ને ત્યાં રહ્યો. એક અજગર દમયંતીને પકડી ગળવા લાગ્યો. એ પારધીએ અજગરને મારી દમયંતી છોડાવી. તે હવે  દમયંતીને પરણવા તૈયાર થયો. જોકે સતી દમયંતીના તેના શ્રાપથી એ બળીને મરી ગયો.
   આ રીતે તે રખડતી ભટકતી આખરે એ પોતાની માસીના ઘરે આવી ત્યાંથી દાસી તરીકે રહેવા લાગી .એક વખત માસી ની કુંવરી સુનંદા નહાતી હતી. ત્યારે તેણે હાર ટોડલે ભરાવ્યો હતો. આહાર ટોડલે થી કલી થઈ ગયો.હારની શોધા શોધ થઈ. આખરે દમયંતીને માથે ચોરીનું આળ આવ્યું. રાજ દરબારમાં એને બોલાવવામાં આવી એણે કહ્યું 'હાર મેં લીધો નથી. દેવતા તેના સાક્ષી છે જેણે મારો હાર લીધો હોય તે અત્રે ફાટી પડજો. ને ખોવાયેલો હાર અબજો. સતીના આ શ્રાપથી ત્યાં કલી 'સતી સતી' કરતો પડ્યો.  ને ખોવાયેલો હાર જડેયો.
  આ સમયે દમયંતી ના પિતા ભીમકે સૂર્યદેવના બ્રાહ્મણને દમયંતીની તપાસ કરવા મોકલ્યો. એ અહી રાજ દરબારમાં આવ્યો .તેણે દમયંતીને દાસી તરીકે કામ કરતી જોઈ. બંને એકબીજાને ઓળખી ગયા એમ કરતાં રાજા રાણી અને સુનંદાએ દમયંતી ને ઓળખી બધા પસ્તાવા  લાગ્યા. એ ત્રણે જણાએ  દમયંતીની માફી માગી. સામે દમયંતીએ કહ્યું એમાં અમારા ભાગ્ય તેમાં તમારું શું વાંક મને તમારે ત્યાં રહેવા મળ્યું એનું મને ઘણું સારું પરિણામ મળ્યું.
   નળ દમયંતી ને નળ વિના બિલકુલ ગમતું ન હતું તેણે સુદેવને બોલાવી તપાસ કરવા મોકલ્યો. જ્યાં સુધી નળની ભાળ ન મળે ત્યાં સુધી તું ટહેલતો રહેજે. એવું કહી સૂદેવને રવાના કર્યો.
  આ કથા એવું કહે છે કે નળ અયોધ્યા થી વિદર્ભ આવે છે. કલી એના શરીરમાંથી નીકળી જાય છે નળને મૂળ રૂપ પાછું મળે છે. દમયંતી અને નળ નો મેળાપ થાય છે. આ બાજુ નળનો ભાઈ પુષ્કર પસ્તાતો હતો. તેણે પોતાના ભાઈને રાજ પાછું આપી દીધું .એ વનમાં જવા નીકળ્યો.
   નળે દમયંતી ને સાથે રાખી અનેક વર્ષો સુધી શાંતિથી રાજ્ય કર્યું. આ પ્રસંગ પર એક કવિએ કાવ્ય રચ્યું છે તે જોઈએ.
નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી,
સુણી ને પ્રસંશા હંસ થી નળરાયને મનથી વરી.

સુખમાં કદી છકી ન જવું , દુઃખમાં ન હિંમત હારવી,
સુખ-દુઃખ સદા ટકતા નથી ,એ નીતિ ઊર ઉતારવી.
 
નળ જળ નયને ભરેને કરે વિવિધ વિલાપ,
વ્યાકુળ અંગ પોતા તણું અવની પછાડે આપ. 
નહીં મળે ફરી કોકિલા સ્વરી, શે ઉપન્યો વિખવાદ.
 વૈદર્ભી વનમાં વલવલે અંધારી રે રાત
ભય ધરશે ને ફાટી મરશે એકલડી રે જાત!








No comments:

Post a Comment