Tuesday 13 July 2021

આકાશમાંથી પડતી વીજળી ના પ્રકાર કેટલા ?કઈ રીતે બને જીવલેણ? ભારતમાં દર વર્ષે ચોમાસામાં આકાશી વીજળી જીવલેણ બને છે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન બે રાજ્યોમાં એક જ દિવસમાં 60 થી વધારે મોત થયા છે કયા વર્ષે પણ જુનની 24 અને 25 તારીખ દરમિયાન ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં વીજળી પડી તેનાથી 113 લોકોના મૃત્યુ થયા હતા. ભારતમાં વધુ મોત થવાનું મુખ્ય કારણ આગોતરી ચેતવણી નો અભાવ છે.વળી લોકો ગર્જનાભર્યા વાતાવરણ વચ્ચે પણ ખેતરમાં કે ખુલ્લામાં કામ કરતા હોય છે માટે તેમના પર વીજળી ની વિશેષ અસર થવાની સંભાવના રહે છે એક સરખી લાગતી વીજળીના મુખ્ય ચાર પ્રકાર છે.(01.ગ્રાઉન્ડ કરન્ટ) પ્રકાર (1)વીજળી સીધી વ્યક્તિ પર ન પડે પણ કોઈ બહોત દ્વારા પણ વ્યક્તિ પર ન પડે પરંતુ જમીન માર્ગે પ્રવાસ કરી શરીરમાં ઉપર ચડે એટલે ગ્રાઉન્ડ કરંટ. વીજળી વૃક્ષ કે કોઈ ઊંચા સ્થળ પર પડી જમીનમાં ઊતરી જમીનમાં જાડો પ્રવાસ કરે અરે એ દરમિયાન સંપર્ક માં આવેલા સજીવને વીજળી ની અસર થાય છે. ઘણી વખત કોઈ ચણીયારમાં રહેલા સંખ્યાબંધ પશુ એકસાથે વીજળીથી મૃત્યુ પામવાનો કિસ્સો નોંધાય એમાં ગ્રાઉન્ડ કરંટ કારણભૂત હોવાનો. વીજળીથી જતાં કુલ મોત પૈકી 50 થી 55% મોત આ પ્રકારથી થાય છે ગ્રાઉન્ડ કરંટ એ સૌથી ઘાતક છે. એટલે જ વીજળી સાથે કામ લેતા કર્મચારીઓ પગમાં પણ વીજ અવાહક જૂતા પહેરી રાખતા હોય છે. ખુલ્લા પગે ખેતરમાં કામ કરતી વખતે ગ્રાઉન્ડ કરંટ ત્રાટકે તો બધુ મુશ્કેલ છે.(0.2 સાઇડ ફ્લેશ પ્રકાર----2)સાઈડ ફ્લેશ કે સ્પલેશ એટલે કોઈ મોટી ચીજ પર ત્રાટકીને બાજુમાંથી પસાર થનાર વ્યક્તિ પર ત્રાટકે. કોઈ વ્યક્તિ વરસાદ કે વાવાઝોડા થી બચવા માટે કોઈ વ્યક્તિ તે આશ્રય નીચે ઉભી રહે ત્યારે આ પ્રકારની વીજળી નો ભોગ બનતી હોય છે. ગ્રાઉન્ડ સ્ટ્રાઇક પછીનો આ બીજો ઘાતક પ્રકાર છે . વીજળી થી થતા કુલ મોત સાઈડ ફ્લેશ નો ફાળો ૩૦થી ૩૫ ટકા હોય છે.03. ડાયરેક્ટ સ્ટ્રાઇક (પ્રકાર--૩)ખુલ્લા મેદાનમાં કોઈ વ્યક્તિ પણ વીજળી નો શેરડો ખાબકે અને મૃત્યુ થાય એ ડાયરેક્ટ સ્ટ્રાઇક. એવી વ્યાપક માન્યતા છે કે ડાયરેક્ટ સ્ટ્રાઇકથી વધુ મોત થતાં હોય છે. પરંતુ સૌથી ઓછા મત આ પ્રકારની વીજળીથી થાય છે એ વખતે વીજળી કોઈ અવરોધ વગર સીધી શરીર પર પડી સમગ્ર ચામડી પર ફરી વળે છે. આ દુર્લભ પ્રકાર છે તેનાથી મોત પણ પાંચ ટકાથી વધારે થતા નથી.પ્રકાર--૪(ક્ન્ડકશન)આકાશમાંથી પડતી વીજળી ને ધાતુ સિદ્ધિ આ કરતી નથી. પરંતુ ક્યાંક વીજળી પડે ત્યાંથી ધાતુ નો તાર, ફેન્સીંગ વગેરે પસાર થતું હોય તો એ આકાશી વીજળી માટે હાઈવે બને છે. કોઈ વ્યક્તિ દૂર એ તાર ને અડકી ને ઉભી હોય તો એ ક્ન્ડકશનનો ભોગ બને. કોઈ વ્યક્તિ ઘરની અંદર હોય છતાં વીજળી નો ભોગ બને તો તેની પાછળ ક્ન્ડકશન સ્ટ્રાઇક જવાબદાર હોઈ શકે છે. ઘણી વખત ટેલિફોન લાઇન, પાણીની પાઇપ દ્વારા કે ઘરના વાયર દ્વારા છેક અંદર સુધી વીજળી પહોંચ્યાના કિસ્સા નોંધાતા રહે છે.મૃત્યુ સંખ્યા ૨૦૧૮-૧૯૨૮૦૦મૃત્યુ સંખ્યા ૨૦૧૯-૨૦૧૭૭૧જાનહાનિ માં ઘટાડોગુજરાત સમાચાર૧૩/૭/૨૦૨૧

આકાશમાંથી પડતી વીજળી ના પ્રકાર કેટલા ?
કઈ રીતે બને જીવલેણ? 


ભારતમાં દર વર્ષે ચોમાસામાં આકાશી વીજળી જીવલેણ બને છે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન બે રાજ્યોમાં એક જ દિવસમાં 60 થી વધારે મોત થયા છે કયા વર્ષે પણ જુનની 24 અને 25 તારીખ દરમિયાન ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં વીજળી પડી તેનાથી 113 લોકોના મૃત્યુ થયા હતા. ભારતમાં વધુ મોત થવાનું મુખ્ય કારણ આગોતરી ચેતવણી નો અભાવ છે.
વળી લોકો ગર્જનાભર્યા વાતાવરણ વચ્ચે પણ ખેતરમાં કે ખુલ્લામાં કામ કરતા હોય છે માટે તેમના પર વીજળી ની વિશેષ અસર થવાની સંભાવના રહે છે એક સરખી લાગતી વીજળીના મુખ્ય ચાર પ્રકાર છે.
(01.ગ્રાઉન્ડ કરન્ટ) પ્રકાર (1)
વીજળી સીધી વ્યક્તિ પર ન પડે પણ કોઈ બહોત દ્વારા પણ વ્યક્તિ પર ન પડે પરંતુ જમીન માર્ગે પ્રવાસ કરી શરીરમાં ઉપર ચડે એટલે ગ્રાઉન્ડ કરંટ. વીજળી વૃક્ષ કે કોઈ ઊંચા સ્થળ પર પડી જમીનમાં ઊતરી જમીનમાં જાડો પ્રવાસ કરે અરે એ દરમિયાન સંપર્ક માં આવેલા સજીવને વીજળી ની અસર થાય છે. ઘણી વખત કોઈ ચણીયારમાં રહેલા સંખ્યાબંધ પશુ એકસાથે વીજળીથી મૃત્યુ પામવાનો કિસ્સો નોંધાય એમાં ગ્રાઉન્ડ કરંટ કારણભૂત હોવાનો. વીજળીથી જતાં કુલ મોત પૈકી 50 થી 55% મોત આ પ્રકારથી થાય છે ગ્રાઉન્ડ કરંટ એ સૌથી ઘાતક છે. એટલે જ વીજળી સાથે કામ લેતા કર્મચારીઓ પગમાં પણ વીજ અવાહક જૂતા પહેરી રાખતા હોય છે. ખુલ્લા પગે ખેતરમાં કામ કરતી વખતે ગ્રાઉન્ડ કરંટ ત્રાટકે તો બધુ મુશ્કેલ છે.
(0.2 સાઇડ ફ્લેશ પ્રકાર----2)
સાઈડ ફ્લેશ કે સ્પલેશ એટલે કોઈ મોટી ચીજ પર ત્રાટકીને બાજુમાંથી પસાર થનાર વ્યક્તિ પર ત્રાટકે. કોઈ વ્યક્તિ વરસાદ કે વાવાઝોડા થી બચવા માટે કોઈ વ્યક્તિ તે આશ્રય નીચે ઉભી રહે ત્યારે આ પ્રકારની વીજળી નો ભોગ બનતી હોય છે. ગ્રાઉન્ડ સ્ટ્રાઇક પછીનો આ બીજો ઘાતક પ્રકાર છે . વીજળી થી થતા કુલ મોત સાઈડ ફ્લેશ નો ફાળો ૩૦થી ૩૫ ટકા હોય છે.
03. ડાયરેક્ટ સ્ટ્રાઇક (પ્રકાર--૩)
ખુલ્લા મેદાનમાં કોઈ વ્યક્તિ પણ વીજળી નો શેરડો ખાબકે અને મૃત્યુ થાય એ ડાયરેક્ટ સ્ટ્રાઇક. એવી વ્યાપક માન્યતા છે કે ડાયરેક્ટ સ્ટ્રાઇકથી વધુ મોત થતાં હોય છે. પરંતુ સૌથી ઓછા મત આ પ્રકારની વીજળીથી થાય છે એ વખતે વીજળી કોઈ અવરોધ વગર સીધી શરીર પર પડી સમગ્ર ચામડી પર ફરી વળે છે.
 આ દુર્લભ પ્રકાર છે તેનાથી મોત પણ પાંચ ટકાથી વધારે થતા નથી.

પ્રકાર--૪(ક્ન્ડકશન)
આકાશમાંથી પડતી વીજળી ને ધાતુ સિદ્ધિ આ કરતી નથી. પરંતુ ક્યાંક વીજળી પડે ત્યાંથી ધાતુ નો તાર, ફેન્સીંગ વગેરે પસાર થતું હોય તો એ આકાશી વીજળી માટે હાઈવે બને છે. કોઈ વ્યક્તિ દૂર એ તાર ને અડકી ને ઉભી હોય તો એ ક્ન્ડકશનનો ભોગ બને. કોઈ વ્યક્તિ ઘરની અંદર હોય છતાં વીજળી નો ભોગ બને તો તેની પાછળ ક્ન્ડકશન સ્ટ્રાઇક જવાબદાર હોઈ શકે છે. ઘણી વખત ટેલિફોન લાઇન, પાણીની પાઇપ દ્વારા કે ઘરના વાયર દ્વારા છેક અંદર સુધી વીજળી પહોંચ્યાના કિસ્સા નોંધાતા રહે છે.

મૃત્યુ સંખ્યા ૨૦૧૮-૧૯
૨૮૦૦
મૃત્યુ સંખ્યા ૨૦૧૯-૨૦
૧૭૭૧
જાનહાનિ માં ઘટાડો
ગુજરાત સમાચાર
૧૩/૭/૨૦૨૧


No comments:

Post a Comment