Sunday 21 November 2021

ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી

ચીમનભાઈ પટેલ 1973- 1974 થી 1990-1994
૧૭ જુલાઇ ૧૯૭૩ ના રોજ ઇન્દિરા ગાંધીના વિરોધ છતાં ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
ચીમનભાઈ પટેલ ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી હતા.
ચીમનભાઈ પટેલના શાસનમાં અન્નની અછતને કારણે અનાજના ભાવમાં અસહ્ય વધારો થયો હતો.
રોટી રમખાણ અને નવનિર્માણ આંદોલન થયું.
નવનિર્માણ આંદોલન
વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો વિરોધ હોવા છતાં ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી નું પદ સંભાળ્યું અન્નની અછત પહોંચી વળવા ચીમનભાઈની સરકારે પગલાં લીધા પરંતુ સરકારે એક લાખ ટન અનાજના સ્થાને માત્ર ૩૫ હજાર ટન જેટલું અનાજ આપતા એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓના બિલ વધ્યા અને હોસ્ટેલમાં રહેતા છોકરાઓએ તોફાનો શરૂ કર્યા જે આંદોલનને કારણે ચીમનભાઈ સરકારે રાજીનામું આપવું પડ્યું હતું.
નવનિર્માણ શબ્દ પુરુષોત્તમ માવળંકરે આપ્યો હતો.
ચીમનભાઈ પટેલ નર્મદા યોજના માટે પ્રયત્નશીલ હતા.
નવનિર્માણ આંદોલનને કારણે ચીમનભાઈ પટેલે 9 ફેબ્રુઆરી 1974ના રોજ રાજીનામું આપ્યું અને ગુજરાતમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું.
ગુજરાતમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન સમયે કે.કે.વિશ્વનાથન ગુજરાતના રાજ્યપાલ હતા.
આ રાષ્ટ્રપતિ શાસન 16 મહિના માટે અમલમાં રહ્યું.
18 જૂન ૧૯૭૫માં ગુજરાતમાં જનતા મોરચાની સરકાર બની અને બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા હતા.
ચીમનભાઈ પટેલે કિસાન મજદૂર લોક પક્ષ (કિમલોપ) ની સ્થાપના કરી હતી.
ચીમનભાઈ પટેલ ૪માર્ચ ૧૯૯૦માં ફરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
'નયા ગુજરાત' મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ નું સ્વપ્ન હતું.
--------------------------------------

No comments:

Post a Comment