Tuesday 16 November 2021

સરિતા જોશી --સંતુ રંગીલી -રંગભૂમિ

 સરિતા જોષી
ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિશ્રીના હસ્તે પદ્મ પુરસ્કારો એનાયત થયા ત્યારે એક નામ ગુજરાતીઓ સિવાયના લોકો માટે ખાંખાખોળા નો વિષય બન્યું હતું જો કે ગુજરાતીઓને અમને પદ્મશ્રી મળે તેમ બાબતે જરાય નવાઈ નહોતી લાગી કેમ કે તેઓ એમને છેલ્લા સાત દાયકાથી ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મી પડદે અભિનયના ઓજસ પાથરનાર જોતા આવ્યા હતા. આપણા સંતુ રંગીલી લેવા સરિતા જોશીની તેઓ પદ્મશ્રીથી પણ ખાતા ગુજરાતી રંગમંચ અને સિનેમા જગતમાં આનંદની હેલી પ્રસરી ગઈ છે .ગુજરાતની એક આખી પેઢી તેમને નાટક સંતુ રંગીલી માં તેમણે કરેલા અફલાતૂન અભિનયને કારણે ઓળખે છે જોકે સરિતાબહેનના અભિનયને કોઈ માધ્યમની મર્યાદા નડતી નથી.
રંગભૂમિ પર તેમણે જેટલી રંગત જમાવી છે તેટલો જ મજા નો અભિનય સિલ્વર સ્ક્રીન પર પણ કરી બતાવે છે આ એક આના આઠ દાયકા વટાવી ચૂક્યા હોવા છતાં તેઓ આજે સતત સક્રિય છે 17 ઓક્ટોબર ,૧૯૪૧ના રોજ મુંબઈમાં જન્મેલાં સરિતા જોશી એ માત્ર સાત વર્ષની વયે અભિનયની દુનિયામાં પર્દાપણ કર્યું હતું .જે ઉંમરે બાળક પ્રાથમિક શાળામાં ભણવાનું શરૂ કરે એ ઉંમરે તેમણે નાટકોમાં અભિનય કરવાનો થયો. એ વખતે તેમના માટે તે અન્ય બાળકોની જેમ ઈતર પ્રવૃત્તિ નહોતી પરંતુ આજીવિકા હતી કેમકે એક દુઃખદ ઘટના એ એમના પરિવારની સુખ સાહ્યબી છીનવી લીધી હતી. પરંતુ આગળ જતાં એ જ અભિનય તેમને આજીવિકાની સાથે ઓળખ પણ આપી.
પુણેના મરાઠી પરિવારમાં જન્મેલા સરિતાબહેનનો ઉછેર વડોદરામાં થયો હતો. 8 ફેબ્રુઆરી 1962ના રોજ સાત વર્ષની વયે અહીં જ તેમણે ન્યુ લક્ષ્મીકાંત નાટક સમાજમાં અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરી હતી .આધુનિક રંગમંચ પરનું તેમનું પ્રથમ નાટક હતું .'પઢો રે પોપટ' જેનું નિર્દેશન કાંતિ મડિયા એ કરેલું. આ નાટક ભારતીય વિદ્યાભવન ખાતે રજૂ થયું હતું .એ પછી તેમણે અનેક નાટકોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી ૧૯૬૬માં તેઓ રંગ ભવન ખાતે પ્રવીણ જોશી ના નિર્દેશન હેઠળ પ્રથમ વાર રજૂ થયેલ નાટક 'ચંદરવો 'થી આઈ.એન.ટી માં પ્રવેશ્યાં અને એ પછી કદી પાછું વળીને જોયું નહીં તેમણે આઈ.એન.ટી અને અન્ય નાટય સંસ્થાઓ નિર્મિત અનેક નાટકોમાં અભિનય કર્યો જોકે સૌથી વધુ પ્રસિદ્ધિ મળી 'સંતુ રંગીલી' માં. આજેય સૌ કોઈ તેમને 'સંતુ રંગીલી' અભિનયને કારણે સૌથી વધુ ઓળખે છે. એ નાટકમાં અંદાજે સાતેક મિનિટ લાંબો એક ડાયલોગ હતો જેમાં સરિતાબહેન માત્ર હાવભાવ અને ઉચ્ચાર એવો આબાદ અભિનય કરતાં કે ઓડિયન્સ માત્ર એ ડાયલોગની જ ઓછામાં ઓછા આઠ -દસ વાર વન્સમોર ની માંગ કરતું.
સરિતાબહેન પદ્મશ્રીથી સન્માનિત થયા છે આમ રાષ્ટ્રીય સ્તરે તેમની કળાની યોગ્ય કદર થતાં ગુજરાતી રંગભૂમિ અને સિને જગતમાં આનંદ આનંદ છે જોકે સરિતા જોશી ને એ પહેલાં પણ બીજા અનેક મહત્ત્વના એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ૧૯૮૮માં સંગીત નાટક અકાદમીએ રંગભૂમિમાં તેમના પ્રદાનને ધ્યાનમાં રાખીને એવોર્ડ આપેલો. આવું જ સન્માન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એ પણ વર્ષ ૨૦૦૧માં કયું હતું. 2007 મા ટ્રાન્સમીડીયા દ્વારા ગુજરાતી રંગભૂમિમાં તેમના પ્રદાનને લઈને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ફોર ગુજરાતી થિયેટર એવોર્ડ એનાયત કરાયો હતો આ સિવાય ટીવી અને સિનેમાના બીજાં અનેક એવોર્ડ તો ખરા જ સરિતાબહેન નવી કે લિયે ગાના પાત્ર એકથી વધારે વખત જોયા છે જોકે તેમના અભિનયની રેન્જ નો અંદાજ તમે એના પરથી લગાવી શકો કે નાના એ દરેક પાત્રને તેમણે અલગ અલગ રીતે ભજવી બતાવ્યું હતું. મણિરત્નમની ગુરુમાં તેમણે અભિષેક બચ્ચનની માતા તરીકે ભજવેલું પાત્ર અને દસવિદાનીયામાં વિનય પાઠકની માતાનું પાત્ર, બંનેમાં તમને સરિતા જોશી સાવ અલગ પ્રકારની ભૂમિકામાં દેખાશે. નાના પડદે પણ તેમણે આ જ રીતે બાના પાત્રને અલગ અલગ રીતે રજૂ કર્યા હતા. પછી તે બા બહુ ઔર બેબી ના ગોદાવરી ઠક્કર હોય તે પછી ખીચડી રિટર્ન ના ચંપાકાપી. બંને પાત્રોને તેમણે પોતાની રીતે અલગ અલગ સ્ટાઈલ માં પડદા પર રજૂ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા.
સરિતાબહેને ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ નિર્માતા પ્રવીણ જોશી સાથે લગ્ન કર્યા હતાં એનઆઇટી ના નાટકો કરતા કરતા બંને પ્રેમમાં પડેલા અને પછી સંબંધ લગ્નમાં પરિવર્તિત થયેલો જોકે પ્રવીણ જોશી ની અણધારી વિદાય એક સમયે તેમણે અંદરથી સાવ તોડી નાખેલા. એ વખતે અભિનય જ હતો જેણે તેમને ફરી બેઠા થવાની પ્રેરણા આપેલી .હવે તો તેમની દીકરીઓ પણ તેમના પગલે અભિનયની દુનિયામાં આગવી ઓળખ ધરાવતી થઈ છે.
સરિતા જોશી વિશે ગુજરાતી રંગભૂમિના જાણીતા અભિનેતા નિર્માતા નિર્દેશક જે.ડી. મજેઠિયા લખે છે,' સ્ટેજ પરથી સવિતાબેન દર્શકોને એ રીતે લુક આપે કે જેથી છેલ્લી ખુરશી પર બેઠેલા દર્શકને પણ તે સ્પષ્ટ દેખાય અને તેને એવું જ લાગે કે તેઓ તેની સામે જોઈ રહ્યા છે.રંગભૂમિની આ પરિભાષા શીખવી બહુ અઘરી છે, પણ સરિતાબહેને તેને આત્મસાત કરી છે. તેમના અભિનયમાં પહેલું તાદાત્મય, ચહેરાના હાવભાવ, અવાજનો આરોહ-અવરોહ અને સ્ટેજ પર છવાઈ જવાની તેમની ક્ષમતા વર્તમાનમાં ભાગ્યે જ કોઈનામાં હશે. સરિતા જોશી રંગભૂમિની એક જીવતી જાગતી સંસ્થા છે.
આભાર સંદેશ સમાચાર તારીખ 16- 11- 2021

No comments:

Post a Comment