Sunday 22 October 2023

ઇઝરાયલ : સતત યુદ્ધગ્રસ્ત રહેતો યહુદીઓનો અનોખો દેશ

ઇઝરાયલ : સતત યુદ્ધગ્રસ્ત રહેતો યહુદીઓનો અનોખો દેશ

...વ ર્લ્ડ કપ માટેનો ક્રિકેટજંગ બરાબર જામ્યો છે તો બી તરફ હજારો લોકોને મોતને ઘાટ ઊતારનાર ઈઝરાયલ-હમાસ વચ્ચેનો જંગ પણ લગાતાર ઉગ્ર બનતો જાય છે. વિશ્વના બીજા દેશો તો ઠીક ભારતમાં પણ લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક મોટો વર્ગ ઈઝરાયલની તરફેણ કરે છે તો બીજો એક સમુદાય પેલેસ્ટાઈનીઓ માટેસહાનુભૂતિ ધરાવે છે. જો કે વિશ્વના ઈસ્લામિક દેશોને બાદ કરતાં બીજા તમામ રાષ્ટ્રો ઈઝરાયલની પડખે ઊભા છે. આવા સમયે એ જાણવું જરૂરી છે કે એવું તે શું છે ઈઝરાયલ જેવા ટચૂકડા દેશમાં . કે તેની આટલી બધી ચર્ચા થાય છે.ચોમેર મુસ્લિમ દેશોથી ઘેરાયેલો ઇઝરાયલ કોઇનો ડર રાખ્યા વિના સામી છાતીએ ઝીંક ઝીલે છે તે વાતની ઘણાને નવાઈ લાગે. પરંતુ ઇઝરાયલના અસ્તિત્વના સાત દાયકાની સંઘર્ષ કથા વાંચશો તો ઘણું જાણવા મળશે.

ઇઝરાયલમાં જાવ અને કોઇકને ગાયના માંસવાળું હેમ્બર્ગર કે 'બીફ'ની બીજી વાનગી પીરસવા કહેશો તો વેઇટર ડઘાઇ જશે. તમને ‘સોરી’ કહી દેશે. તમે એમ કહો કે મને ગાયના દૂધમાંથી બનાવેલું કોઇ મિલ્કશેક આપ. તો એ પણ નહિ મળે. એટલા માટે નહિ કે ત્યાં દૂધની તંગી છે. પરંતુ ઇઝરાયલની બહુમતી પ્રજા રૂઢિચુસ્ત યહૂદીઓ ગાયને પૂજે છે. ઇઝરાયલના યહૂદી ધારાધોરણ મુજબ દેશમાં ક્યાંય ગાયનું માંસ પીરસવા
પર કે ગાયનું દૂધ વેચવા પર પ્રતિબંધ છે! નવાઇ પમાડે તેવી આ એક જ વાત નથી. ઇઝરાયલ દેશ અનેક ખૂબીઓથી, વિવિધતાથી તથા વિષમતાથી ભરપૂર ટચુકડું છતાંય મહારાષ્ટ્ર છે. મુંબઈ કરતાં પણ જેની વસતિ ઓછી. (૯૫ લાખ) છે તેવો ઇઝરાયલ દેશ ૨૦૦૮માં ૧૪મી મેના રોજ તેની સ્થાપનાની હીરક જયંતિ ઉજવી હતી. માત્ર ૮,૬૩૦ ચોરસ માઇલ (૨૨,૧૪૫ ચો. કિ.મી.)નું ક્ષેત્રફળ ધરાવતા આ દેશનું કદ નકશામાં જુઓ તો ટચલી આંગળીના નખ જેવડું દેખાય. પરંતુ અસ્તિત્વના સાડા સાત દાયકામાં ઇઝરાયલે મેળવેલી સિદ્ધિની આખી દુનિયાને ઇર્ષ્યા થાય છે.

ઇઝરાયલ કરતાં એક વર્ષ પૂર્વે આઝાદ (૧૯૪૭) થયું હોવા છતાં અનેક બાબતોમાં ભારત પાછળ રહી ગયું છે. જ્યારે ઈઝરાયલની હોશિયારી, કાર્યક્ષમતાએ સમગ્ર જગતને મોમાં આંગળા નાખતાં કરી દીધાં છે.

યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ જેવા એક સાથે ત્રણ ધર્મનો જ્યાં ઉદય થયો. હોય અને જે માટીમાં આ ત્રણ એકેશ્વરવાદી વિચારધારા અને ફિલસુફીના મૂળિયા નંખાયા હોય તેમજ પ∞ વર્ષ જૂની સંસ્કૃતિના અવશેષો આજેય આધુનિક નગરના શિલ્પ સ્થાપત્ય સાથે સહઅસ્તિત્ત્વ ધરાવતા હોય તેવો કોઇ એક દેશ પૃથ્વીના પટ પર હોય તો એ પણ

ઈઝરાયલ જ છે! બાઇબલ, કુરાન અને જુડાઇઝમના ધર્મપુસ્તકો વાંચીને સામુહિક પ્રાર્થના ચાલતી હોય ત્યારે આકાશમાં જોરદાર ઘરેરાટી બોલાવી ઉડી જતાં એફ-૩૫ ફાઇટર પ્લેનો અહીં રોજ જોવા મળે છે.

ઈઝરાયલનો ઉદ્દભવ પણ કેવી વિચિત્ર રીતે થયો?! ૭૫ વર્ષ પૂર્વે આ નામનો કોઇ દેશ પૃથ્વી પર નહોતો. જગતના નકશામાં ઇઝરાયલનું ક્યાંય નામ નિશાન જોવા નહોતું મળતું અને એકાએક કાળચક્ર એ રીતે ફરી વળ્યું કે પેલેસ્ટાઇન નામનું અસલ જે રાજ્ય અસ્તિત્ત્વ ધરાવતું હતું તેના બે ટુકડા થયા અને ઇઝરાયલની રચના થઇ.

તારીખઃ ૧૪ મે, ૧૯૪૮ ૧૪મે ૧૯૪૮ના રોજપેલેસ્ટાઇનના બે ભાગલા પડી ગયા. જેમાં એક વિસ્તાર યહૂદીઓનો હતો તે ઈઝરાયલ તરીકે ઓળખાયો અને બીજો ભાગ આરબોને ફાળે ગયો તે પેલેસ્ટાઇન તરીકે ઓળખાયો. જો કે યુનોના ઠરાવને ઠુકરાવી દઈ ઇસ્લામપંથી આરબ દેશો ઇજિપ્ત, જોર્ડન, સિરિયા, લેબેનોન તથા સાઉદી આરબ એકાએક નવા રચાયેલા રાષ્ટ્ર ઇઝરાયલ પર તૂટી પડ્યા. ભૂતકાળમાં યહૂદીઓએ જે યાતના ભોગવી છે તે ભાગ્યે જ ધરતી પરની બીજી કોઇ જાતિએ વેઠી હશે. જર્મનીના હિટલરે તો લાખો યહૂદીઓની રીતસર કત્લેઆમ કરી હતી. મધ્યપૂર્વ એશિયાના સુલતાનોએ પણ યહૂદીઓ પર જુલમ . વરસાવવામાં કશી કમી રાખી નથી. હવે જ્યારે તેમના હાથ બળુકા બન્યા છે ત્યારે યહૂદીઓનો પુણ્ય પ્રકોપ ફાટી નીકળતા પેલેસ્ટીનીયનોને વસમાં દિવસો જોવા પડે છે.

જોર્ડન નજીક વેસ્ટબેન્ક વિસ્તારમાં આવેલા શહેર જેરુસલેમની જ વાત કરીએ તો આ નગરના બે ભાગલાં પડ્યા પછી આજે ત્યાં સંપૂર્ણ રીતે ઇઝરાયલ સરકારની આણ વર્તે છે. આજે ભલે ઇઝરાયલની રાજધાની તેલ અવીવ હોય, યહૂદીઓની ભવ્ય સંસ્કૃતિ તેમજ દર્દનાક ઇતિહાસની ખરી સાક્ષી તો જેરૂસલેમના ખંડેર ધર્મસ્થાનકો જ પુરાવે છે. એટલે જેરૂસલેમનો ઇતિહાસ જાણો તો તેના પરથી યહૂદીઓના ભવ્ય ભૂતકાળ અને સંઘર્ષની કેફિયત મળી જાય,

જેરુસલેમનું યહૂદી નામ રૂશલાયિમ છે. અંગ્રેજોએ તેની ઓળખ જેરૂસલેમ તરીકે આપી. અરબી ભાષામાં તેનું નામ બૈત અલમકદેશ છે. બે હજાર વર્ષ પૂર્વે અહીં યહૂદી રાજ્ય હતું. જેરુસલેમ તેનું પાટનગર જ નહીં, યાત્રાધામ પણ હતું. આ પ્રાચીન નગર ૩૦૦ વર્ષ જૂનું છે અને ઇશુ ખ્રિસ્તના નામ સાથે જોડાયેલું છે. મહમ્મદ પયગંબરે અહીં નમાઝ પઢી હતી તેથી મક્કા અને મદિના પછી મુસ્લિમોનું સૌથી પવિત્ર યાત્રાધામ જેરુસલેમ છે.

ઇસવીસન પૂર્વે ૨૦૦૦ના અરસામાં હિબ્રૂ હિજરતીઓ આ વિસ્તારમાં આવ્યા હતા. ત્યાર પછી એકહજાર વર્ષબાદ અને ઇ.સ.પૂર્વે ૫૯૭ની વચ્ચે રાજા ડેવિડે અને તેમના પછી આવેલાં શાસકોએ પધ્ધતિસર જુડાઇઝમનો વિકાસ કર્યો હતો.
રાજા ડેવિડના શાસન પછી અહીં બેબિલોનિયનો, પર્શિયનો, ગ્રીકો અને તુર્કોએ ચઢાઇ કરી હતી. કે ઇજિપ્તના પ્રાચીન સાંસ્કૃતિક કાળમાં ઇ.સ.પૂર્વે ૧૩૭૦માં જેરુસલેમ ઇજિપ્ત સામ્રાજ્યમાં હતું. અત્યારે સોલોમોનના મંદિરની ખંડિત દીવાલ છે, તેની નજીક ૩૮૦ વર્ષ પહેલાં માનવવસાહત હતી. ઇઝરાયલ અને ડાના પ્રાચીન રાજ્ય સ્થાપનાર રાજા ડેવિડે ઇ.સ. પૂર્વે ૧૮૦૦ના અરસામાં જેરુસલેમ જીતી લીધું હતું અને તેણે યહૂદી રાજ્યનું પાટનગર બનાવ્યું હતું. દાવાના આધારે આ ઈઝરાયલના ભૂતપૂર્વ લડાયક વડાપ્રધાન બેગિને તેને ફરીથી ઇઝરાયલનું પાટનગર બનાવ્યું હતું.

પણ મુસ્લિમ દેશોથી ઘેરાયેલો ઇઝરાયલ કોઇનો ડર રાખ્યા વિના સામી છાતીએ ઝીંક ઝીલે છે પરંતુ ઇઝરાયલના અસ્તિત્વની સંઘર્ષ કથા વાંચશો તો ઘણું જાણવા મળશે.

અનુસંધાન પાના નં.૬ પર 
ડેવિડ પછી સોલોમને(સુલેમાને) જેરુસલેમ ને વિસ્તૃત કર્યું. અને તેણે પોતાના નામથી પ્રખ્યાત થયેલું સોલોમન મંદિર બંધાવ્યું હતું.

યહૂદીઓનું તે પરમ પવિત્ર યાત્રાધામ
છે. આજે તે મંદિર નથી રહ્યું. યુધ્ધમાં
ખંડેર બની ગયેલાં આ તીર્થસ્થળની
માત્ર એક દીવાલ ી છે. જેને
યહૂદીઓ ચૂમે છે અને યહૂદી
સામ્રાજ્યની આથમી ગયેલી
જાહોજલાલી માટે અહીંપ્રજાસ
સારે છે. તેથી આ ભીંતને રડતી
દીવાલ' (વેઇલીંગ વૉલ) કહે છે.
ઇશુના આગમન પછી બે સદીના
ગાળામાં રોમન સમ્રાટો આ પ્રદેશને
ખૂંદી વળ્યા હતા. અહીંની
ફિલિસ્તીની પ્રજાના નામ પરથી આ
પ્રદેશનું નામ રોમન સમ્રાટોએ જુડિયા
પેલેસ્ટીન પાડ્યું. ઇ.સ.૬૬માં
યહૂદીઓએ સ્વતંત્ર થવા રોમનો સામે
બળવો કર્યો. તેથી રોમનોએ
સોમનો નાશ કર્યો. યાદી શા
ઘેરો ડે બંધાવેલાં મંદિરનો ધ્વંસ કર્યો.
ખ્રિસ્તીઓ પણ આ શહેરની યાત્રાએ
આવે છે. મહમ્મદ પયંગબર અહીંથી
સાતમાં સ્વર્ગે સિધાવી ગયા તેથી
મુસ્લિમો માટે પણ આ અત્યંત પવિત્ર
સ્થળ છે. ૧૯૬૭માં આરબો સાથે
ઈઝરાયલે છ દિવસનું તુમુલ યુદ્ધ
બેલીને મુસ્લિમ ક્યૂર પંથીઓને
ખોખરાં કરી નાંખેલા. એ દિવસ પછી
નાણાં, સંખ્યાબળ,લશ્કરી તાકાતમાં
આરબ દેશો ચઢિયાતા હોવા છતાં
તેઓ ઈઝરાયલ સામે ઊંચી આંખ
કરીને એવાની હિંમત કેળવી નથી
શક્યા. જોર્ડન અને ઈજિપ્ત જેવા બે
સુધરેલાં, સમૃદ્ધ અને બળુકા ઈસ્લામ
રાષ્ટ્રો પણ ઈઝરાયલની લશ્કરી
તાકાતથી ડરે છે. માત્ર યુદ્ધન
મામલામાં જ નિહ, બીજી અનેક
બાબતોમાં ચબરાક, ખેતીલા
કર્તવ્યનિષ્ઠ અને શિસ્તબધ્ધ કામ
કરવા ટેવાયેલા યહૂદીઓએ
ઈઝરાયલ પર થતાં 
ત્રાસવાદીઓના હુમલા તો એટલા 
સામાન્ય થઈ ગયા છે કે દરેક નાગરિક
હવે પોતાનું રક્ષણ આપમેળે કરતાં
શીખી ગયો છે. ઈઝરાયેલી સ્ત્રીઓ
પણ એટલી જ બહાદૂર છે. દુશ્મનોને
ખાળવા ઈઝરાયલે આખા દેશને સૈન્ય
બનાવી દીધું છે. આમ છતાં લશ્કરમાં
સૈનિકોની સંખ્યા પાંચ લાખની રાખી
છે. બીજું, સાડાત્રણ લાખ સૈનિકોનું
'રિઝર્વ આર્મી છે' પોતાની
જરૂરિયાતને પહોંચી વળવા
ઈઝરાયલ અનેક પ્રકારના શસ્ત્રો ઘર 
આંગણે બનાવે છે અને ચોરી છૂપીથી
દાણચોરીના રસ્તે બીજા દેશોમાંથી 
યુરેનિયમ લાવીને ઈઝરાયલે 
અણુબોમ્બ પણ બનાવ્યા છે.
ઈઝરાયલમાં આજેય યહુદીઓની 
સાથે કેટલાંક આરબ નાગરિકો પણ 
વસે છે તેમ જ નોકરી-ધંધાર્થે અમુક
પેલેસ્ટિનિયનોગાઝા પટ્ટી કે વેસ્ટ
બેંકમાંથી તેલ અવીવ કે જેમને
આવે છે. આ લોકો કોઈ ત્રાસવાદી
ઉપામા ન મચાવે માટે ઈઝરાયલની
ખુફિયા પોલીસ એટલે કે ગુપ્તચર તંત્ર
‘મોસાદ’ ચોવીસે ક્લાક સતર્ક રહે છે.
દુનિયાના અતિ બાહોશ અને
ખતરનાક જાસૂસી સંગઠનોમાં
મોસાદની ગણના થાય છે. રાષ્ટ્રીય
એરલાઈન્સ 
‘અલ-એર’ના
વિમાનોને હાઈજેક કરી જવાના 
બનાવ બન્યા પછી ઈઝરાયલ પહેલો
એવો દેશ હતો જેણે પોતાના તમામ
નાગરિક વિમાનોની સુરક્ષા માટે
પ્લેનમાં કમાન્ડો ટુકડીને તેનાત કરી. ઇઝરાયેલી નાગરિકો રવિવારે રજા પાળે છે. પણ શુક્રવારે ત્યાં જુદો જ માહોલ દેખાય છે. બપોરે 2:00 વાગે એટલે જ્યાં જુઓ ત્યાં બધા કામ ઠપ. હોટેલ, શાળા, બેંક ઓફિસ, વાહનવ્યવહાર બધુ એક સાથે બંધ થઈ જાય શુક્રવારને ત્યાં સાબાય દિન કહે છે. ઠેર ઠેર આવેલા સિનોગોંગ( યહૂદીઓના )દેવળ માં લોકોના ટોળા પ્રાર્થના માટે જમા થાય છે.
ઇઝરાયેલ માં બીજી એક ખાસિયત એ જોવા મળે છે કે ત્યાં સોલાર પાવર સૂર્ય શક્તિનો બહુ મહિમા છે પેટ્રોલ તો એક પણ ટીપું નથી નીકળતું એટલે સૌર શક્તિ વાપરીને આ દેશની ઊર્જા મેળવે છે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ન્યુકિલયર રિએક્ટર છે. તેમાંથી પણ પર્યાપ્ત વીજળી મળે છે સૂર્ય શક્તિનો ઉપયોગ કરી મૃત સમુદ્રમાંથી પાણી મેળવીને તેને પીવાલાયક બનાવવાના પ્રયત્નો થાય છે અમુક ઇઝરાયેલી વિજ્ઞાન અને મૃત સમુદ્રમાંથી મળતી અનોખા પ્રકારની લીલ સેવાડમાંથી આલ્કોહોલ બનાવી તેમાંથી વાહન ચલાવવા કામ આવે તેવું બળતણ તૈયાર કર્યું છે.

આભાર
Gujarat news paper

No comments:

Post a Comment