Thursday 1 December 2022

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. બોર્ડર ટુરિઝમ અને એડવેન્ચર ટુરિઝમના વિકાસ અર્થે વાઘા બોર્ડર ખાતે રીટ્રીટ સેરેમની યોજાય છે. રાજ્યની સ્કૂલો નડાબેટ ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને સુચના આપવામાં આવી છે. રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ નડાબેટમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા માટે જણાવાયું હતું.જેના પગલે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલી તેમના તાબાની સ્કૂલો નડાબેટનો શૈક્ષણિક પ્રવાસ યોજે તે માટે પ્રેરિત કરવા જણાવાયું છે. શાળાના વિદ્યાર્થીઓ ભારત-પાકિસ્તાનની સરહદથી પરિચિત થાય અને સીમા દર્શન પ્રોજેક્ટ ટુરિઝમને લાભ મળે એવો સરકારનો ઉદેશ્ય છે.સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા બોર્ડર ટુરિઝમ અને એડવેન્ચર ટુરિઝમના વિકાસ અર્થે વાઘા બોર્ડર ખાતે યોજાતી રીટ્રીટ સેરેમનીથી પ્રેરિત થઈને બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને સરહદી વિસ્તારના ગ્રામજનોનું જીવન નિહાળવાની તક મળે તેમજ દેશની સીમાઓને પોતાના જીવનના જોખમે રાત-દિવસ દેશ અને દેશવાસીઓને સુરક્ષિત રાખતા આપણા વીર સૈનિકો અને તેમનું જીવન નિહાળીને વિદ્યાર્થીઓ પ્રેરણા મેળવે તે માટેના પ્રયાસો શરૂ કરાયા છે. ખાનગી અને સરકારી શાળાઓ દ્વારા નડાબેટ ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે તે માટે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં અધિકારીઓને તેમના તાબાની સ્કૂલોમાં નડાબેટના પ્રવાસ માટે પ્રેરિત કરવા માટે જણાવવામાં આવ્યું છે. રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખી આ અંગે રજૂઆત કરી હતી. જેના પગલે પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રોએ ઉમેર્યું હતું કે, બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેટ ખાતે વિવિધ ટુરિઝમ ફેસેલિટી ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. જેમાં એડવેન્ચર ફેસેલિટી, એક્ઝિબીશન હોલ કમ મ્યુઝીયમ, 3500 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા સાથેનું પરેડ ગ્રાઉન્ડ, અજય પ્રહારી સ્મારક, ફુડ કોર્ટ, ઓડીટોરીયમ, એરાઈવલ પ્લાઝા, સોવેનિયર શોપ, જુદાજુદા વોર વેપન તથા ઝીરો પોઈન્ટ પર બેઝીક ટુરીસ્ટ ફેસેલીટી ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. નડાબેટ ખાતે વિદ્યાર્થીઓનું ગ્રુપ શૈક્ષણિક પ્રવાસમાં જશે તો તેમને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવાની પણ ટુરિઝમ વિભાગે તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે. આમ, હવે નડાબેટને શૈક્ષણિક પ્રવાસ માટે પ્રમોટ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. બોર્ડર ટુરિઝમ અને એડવેન્ચર ટુરિઝમના વિકાસ અર્થે વાઘા બોર્ડર ખાતે રીટ્રીટ સેરેમની યોજાય છે. રાજ્યની સ્કૂલો નડાબેટ ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને સુચના આપવામાં આવી છે. રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ નડાબેટમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા માટે જણાવાયું હતું.જેના પગલે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલી તેમના તાબાની સ્કૂલો નડાબેટનો શૈક્ષણિક પ્રવાસ યોજે તે માટે પ્રેરિત કરવા જણાવાયું છે. શાળાના વિદ્યાર્થીઓ ભારત-પાકિસ્તાનની સરહદથી પરિચિત થાય અને સીમા દર્શન પ્રોજેક્ટ ટુરિઝમને લાભ મળે એવો સરકારનો ઉદેશ્ય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા બોર્ડર ટુરિઝમ અને એડવેન્ચર ટુરિઝમના વિકાસ અર્થે વાઘા બોર્ડર ખાતે યોજાતી રીટ્રીટ સેરેમનીથી પ્રેરિત થઈને બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને સરહદી વિસ્તારના ગ્રામજનોનું જીવન નિહાળવાની તક મળે તેમજ દેશની સીમાઓને પોતાના જીવનના જોખમે રાત-દિવસ દેશ અને દેશવાસીઓને સુરક્ષિત રાખતા આપણા વીર સૈનિકો અને તેમનું જીવન નિહાળીને વિદ્યાર્થીઓ પ્રેરણા મેળવે તે માટેના પ્રયાસો શરૂ કરાયા છે. ખાનગી અને સરકારી શાળાઓ દ્વારા નડાબેટ ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે તે માટે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં અધિકારીઓને તેમના તાબાની સ્કૂલોમાં નડાબેટના પ્રવાસ માટે પ્રેરિત કરવા માટે જણાવવામાં આવ્યું છે. રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખી આ અંગે રજૂઆત કરી હતી. જેના પગલે પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેટ ખાતે વિવિધ ટુરિઝમ ફેસેલિટી ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. જેમાં એડવેન્ચર ફેસેલિટી, એક્ઝિબીશન હોલ કમ મ્યુઝીયમ, 3500 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા સાથેનું પરેડ ગ્રાઉન્ડ, અજય પ્રહારી સ્મારક, ફુડ કોર્ટ, ઓડીટોરીયમ, એરાઈવલ પ્લાઝા, સોવેનિયર શોપ, જુદાજુદા વોર વેપન તથા ઝીરો પોઈન્ટ પર બેઝીક ટુરીસ્ટ ફેસેલીટી ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. નડાબેટ ખાતે વિદ્યાર્થીઓનું ગ્રુપ શૈક્ષણિક પ્રવાસમાં જશે તો તેમને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવાની પણ ટુરિઝમ વિભાગે તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે. આમ, હવે નડાબેટને શૈક્ષણિક પ્રવાસ માટે પ્રમોટ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.

No comments:

Post a Comment