Monday 18 May 2020

ટીવી પર એક ઇન્ટરવ્યુ દરમિયાન સવાલ પૂછાયો કે દિવાળીબેન જો તમે તમારી "અટક" બદલાવી નાખો તો તમને "ઘણો ફાયદો" રહે!!! તમારી આદિવાસી ઓળખ બદલો તો તમને અમે વધુ "મદદ" કરી શકીએ...ત્યારે દિવાળીબેને એ જાહેર ઇન્ટરવ્યુ માં કહેલું કે મને મારા "ભીલ" હોવા પર ગર્વ છે અને જે સમાજ સાથે હું જન્મથી જોડાયેલ છું તેને હું અંગત સ્વાર્થ - પ્રસિદ્ધિ ખાતર કદી નહિ છોડું. તમે મને આદિવાસી ભીલ તરીકે સ્વીકારી શકો તો હું એક કલાકાર તરીકે હાજર છું, બાકી નમસ્કાર...આવા સ્વાભિમાની, ખમીરવંતા અને "મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે", " પાપ તારા પરકાશ જાડેજા" વગેરે જેવા યાદગાર ગીતોના ગાયિકા કોકિલકંઠી પદ્મશ્રી દિવાળીબેન ભીલ આપણી વચ્ચે નથી રહ્યા. પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે.

No comments:

Post a Comment