Pages
▼
Saturday, 30 July 2022
Thursday, 28 July 2022
Wednesday, 27 July 2022
Tuesday, 26 July 2022
Monday, 25 July 2022
Sunday, 24 July 2022
અવકાશમાં સેટેલાઈટ છોડવા માટે રોકેટનો ઉપયોગ થાય છે તેને લોન્ચ વ્હિકલ પણ કહે છે. આ રોકેટ તીવ્ર વેગ સાથે આકાશ તરફ ધકેલાય છે. આ માટે પ્રચંડ તાકાત અને બળતણ નો મોટો જથ્થો વપરાય છે શ્રી હરિકોટા લોન્ચિંગ મથક જાણીતું છે. તે બંગાળના ઉપસાગરના ટાપુ પર આવેલું છે.રોકેટ લોન્ચ કરવા ના સ્થળની પસંદગી કાળજીપૂર્વક કરવી પડે.પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ધરિભ્રમણ કરે છે .વિષુવવૃત્ત ઉપર ઊભેલો માણસ પૃથ્વીના ધરીભ્રમણ સાથે કલાકના ૧૬૬૦ કિલોમીટરની ઝડપે ફરતો હોય છે. પૃથ્વીનો આ વેગ રોકેટ છોડવામાં ઉપયોગી થાય છે. વિષુવવત્ત ઉપરથી રોકેટ છોડવામાં આવે તો તેને કલાકના 1660 કિલોમીટરની કુદરતી ઝડપ આપોઆપ મળી જાય છે . એટલે ઇંધણ ની જરૂર ઓછી પડે છે. લોન્ચિંગ મથક વિષુવવત્તની નજીક હોય તો વધુ અનુકૂળ જ નહીં પણ ઉત્તમ ગણાય છે. દરેક દેશ રોકેટ લોન્ચ કરવાનું સ્થળ દેશના પૂર્વ કાંઠે રાખે છે .રોકેટ પશ્ચિમથી પૂર્વ તરફ ત્રાંસી દિશામાં આકાશમાં જાય છે .એટલે અકસ્માત થાય અને તૂટી પડે તો દરિયામાં પડે છે. લોન્ચિંગ સ્થળ સલામતી માટે વસ્તીથી દૂર રાખવામાં આવે છે ભારતમાં શ્રી હરિકોટા આ બધી બાબતોમાં સૌથી અનુકૂળ લોન્ચિંગ મથક ગણાય છે. ઘણા દેશો વિષુવવૃતની નજીક સ્થળ શોધી અન્ય દેશોમાં પણ લોન્ચિંગ મથક સ્થાપે છે.
અવકાશમાં સેટેલાઈટ છોડવા માટે રોકેટનો ઉપયોગ થાય છે તેને લોન્ચ વ્હિકલ પણ કહે છે. આ રોકેટ તીવ્ર વેગ સાથે આકાશ તરફ ધકેલાય છે. આ માટે પ્રચંડ તાકાત અને બળતણ નો મોટો જથ્થો વપરાય છે શ્રી હરિકોટા લોન્ચિંગ મથક જાણીતું છે. તે બંગાળના ઉપસાગરના ટાપુ પર આવેલું છે.
રોકેટ લોન્ચ કરવા ના સ્થળની પસંદગી કાળજીપૂર્વક કરવી પડે.
પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ધરિભ્રમણ કરે છે .વિષુવવૃત્ત ઉપર ઊભેલો માણસ પૃથ્વીના ધરીભ્રમણ સાથે કલાકના ૧૬૬૦ કિલોમીટરની ઝડપે ફરતો હોય છે. પૃથ્વીનો આ વેગ રોકેટ છોડવામાં ઉપયોગી થાય છે. વિષુવવત્ત ઉપરથી રોકેટ છોડવામાં આવે તો તેને કલાકના 1660 કિલોમીટરની કુદરતી ઝડપ આપોઆપ મળી જાય છે . એટલે ઇંધણ ની જરૂર ઓછી પડે છે. લોન્ચિંગ મથક વિષુવવત્તની નજીક હોય તો વધુ અનુકૂળ જ નહીં પણ ઉત્તમ ગણાય છે. દરેક દેશ રોકેટ લોન્ચ કરવાનું સ્થળ દેશના પૂર્વ કાંઠે રાખે છે .રોકેટ પશ્ચિમથી પૂર્વ તરફ ત્રાંસી દિશામાં આકાશમાં જાય છે .એટલે અકસ્માત થાય અને તૂટી પડે તો દરિયામાં પડે છે. લોન્ચિંગ સ્થળ સલામતી માટે વસ્તીથી દૂર રાખવામાં આવે છે ભારતમાં શ્રી હરિકોટા આ બધી બાબતોમાં સૌથી અનુકૂળ લોન્ચિંગ મથક ગણાય છે. ઘણા દેશો વિષુવવૃતની નજીક સ્થળ શોધી અન્ય દેશોમાં પણ લોન્ચિંગ મથક સ્થાપે છે.